COMMENT / GOOD THINKS

વાહ રે બોટલ...!
.
જન્મ થતાં જ દૂધની બોટલ,
થોડો મોટો થતાં પેપ્સીની બોટલ,
જુવાનીમાં બિયરની બોટલ,
ત્યારપછી વિસ્કીની બોટલ,
લિવર ફેલ થયું તો ગ્લુકોઝની બોટલ,
ઓપરેશન થયું તો લોહીની બોટલ,
મરી ગયો તો ગંગાજળની બોટલ.








************************************
સરકારી શાળામાં ભણતા એક વિદ્યાર્થીનો ભગવાનને પત્ર :
************************************
પ્રિય મિત્ર ભગવાન,
જય ભારત સાથે જણાવવાનું કે હું તારા ભવ્ય મંદિરથી થોડે દૂર
આવેલી એક સરકારી શાળાના સાતમા ધોરણમાં ભણું છું.
મારા પિતાજી દાણાપીઠમાં મજૂરી કરે છે અને મારી મા રોજ
બીજાના ઘરકામ કરવા માટે જાય છે.
હું શું કામ ભણું છુંએની તો મારા મા-બાપને ખબર નથી પણ,
હા કદાચ શિષ્યવૃતીના પૈસા અને મફત જમવાનું નિશાળમાં મળે છે,
એટલે મારા મા-બાપ મને રોજ  કલ્લાક નિશાળે તગડી દે છે.
ભગવાન બે-ચાર સવાલો પૂછવા માટે મેં આજ તને પત્ર લખ્યો છે
કારણ મારા સાહેબે કીધુંતું કે તું સાચી વાત જરૂર સાંભળે છે.
પ્રશ્ન .
હું રોજ સાંજે ભગવાન તારા મંદિરે આવું છું અને નિયમિત સવારે નિશાળે
જાઉં છું,
પણ હેં ભગવાન તારી મૂર્તિની ઉપર આરસપહાણનું A.C. મંદિર છે
અને નિશાળની ઉપર છાપરું  કેમ નથી?
દર ચોમાસે પાણી ટપકે છે આવું શું કામ?
પ્રશ્ન .
તને ૩૨ ભાતના પકવાન પીરસાય છે અને તું તો ખાતો  નથી અને હું
દરરોજ બપોરે મધ્યાહન ભોજનના એક
મુઠ્ઠી ભાતથી ભુખ્યો ઘરે જાઉં છું આવું કેમ?
પ્રશ્ન .
મારી નાનીબેનના ફાટેલા ફ્રોક ઉપર તો કોઈ થીગડું  મારવા આવતું
નથી અને,
તારા પચરંગી નવા નવા વાઘા સાચું કહું તો હું દરરોજ તને
નહી તારા કપડાં જોવા માટે મંદિરે આવું છું?
પ્રશ્ન .
તારા પ્રસંગે લાખો માણસો મંદિરમાં સમાતા નથી અને
પંદરમી ઓગસ્ટે જે ૨૬મી જાન્યુઆરીએ જ્યારે,
હું બે મહિનાથી મહેનત કરેલું દેશભક્તિ ગીત રજુ કરું ને ત્યારે
મારી સામે હોય છે માત્ર મારા શિક્ષકો અને મારા બાળમિત્રો.
હેં ભગવાન તારા મંદિરે જે સમાતા નથી  બધાય મારા મંદિરે કેમ
ડોકાતા નથી?
પ્રશ્ન .
તને ખોટું લાગે તો ભલે લાગે પણ મારા ગામમાં એક ફાઈવસ્ટાર હોટેલ
જેવું મંદિર છે ભગવાન અને એક મંદિર જેવી પ્રાથમિક શાળા છે.
પ્રભુ મેં સાંભળ્યું છે કે તું તો અમારી બનાવેલી મૂર્તિ છો તોય
આવી જલજલાટ છો તો અમે તો તારી બનાવેલી મૂર્તિઓ છિયે,
અમારા ચહેરા ઉપર નૂર કેમ નથી?
શક્ય હોય તો ભગવાન  પાંચેયસવાલોના જવાબ આપજે મને
વાર્ષિક પરીક્ષામાં કામ લાગે,
ભગવાન મારે ખૂબ આગળ ભણવું છે મારે ડૉક્ટર થાવું છે પણ
મારા મા-બાપ પાસે નિશાળની ફીના કે ટ્યુશનના પૈસા નથી,
તું ખાલી જો તારા એક દિવસની દાનપેટી મને મોકલને ભગવાન
તો આખીય જીંદગી હું ભણી શકું.
વિચારીને કેજે દોસ્ત વિચારી લેજે કારણ કે હુંય જાણું છું કે તારે
ઘણાયને પૂછવું પડે એમ છે.
પરંતુ સાતમા ધોરણની વાર્ષિક પરીક્ષા પહેલા તું જો મારામાં ધ્યાન
નહી દે મને પૈસા નહી મોકલે તો,
મારા બાપુ મને સામે ચાવાળાની હોટલે રોજના પાંચ રૂપિયાના ભવ્ય
પગારથી નોકરીએ રાખી દેશે.
પછી આખીય જીંદગી હું તારા શ્રીમંત ભક્તોને ચા પાઈશ ભગવાન પણ
તારી હારે કિટ્ટા કરી નાખીશ.
જલદી કરજે પ્રભુ સમય બહુ ઓછો છે તારી પાસે અને મારી પાસે પણ






લીમડાને આવી ગ્યો તાવ
લીમડાના દાદા ક્યે કહી કહી ને થાકી ગ્યો,
જાવ હજી ફાસ્ટફૂડ ખાવ.
ટી-શર્ટ ને જીન્સવાળી માંજરી બિલાડી ક્યે આપણને દૂધ નહીં ફાવે !
પીત્ઝા ને બર્ગરની આખ્ખી આ પેઢીને રોટલી ને શાક ક્યાંથી ભાવે ?
વર્ષોથી બોટલમાં કેદી થઈ સડતા એ પીણાને પીવો ને પાવ.
જાવ હજી ફાસ્ટફૂડ ખાવ.
અપ ટુ ડેટ કાગડા ને કાગડીયું માઈકમાં મંડી પડ્યા છે કાંઈ ગાવા !
કંઈ પણ ભીંજાય નહી એવા ખાબોચીયામાં નીકળી પડ્યા છો તમે ન્હાવા ?
કૂંપળના ગીત લીલા પડતા મૂકીને ગાવ રીમિક્સના ગાણાઓ ગાવ.
જાવ હજી ફાસ્ટફૂડ ખાવ.
કાન એ કંઈ થૂંકવાનો ખૂણો નથી કે નથી પેટ એ કંઈ કોઈનો ઉકરડો,
આપણા આ ચહેરા પર બીજાના નખ્ખ શેના મારીને જાય છે ઉઝરડો ?
માંદા પડવાનું પોસાય કદિ કોઈને’ય સાંભળ્યા છે ડૉક્ટરના ભાવ ?
લીમડાને આવી ગ્યો તાવ
લીમડાના દાદા ક્યે કહી કહી ને થાકી ગ્યો,
જાવ હજી ફાસ્ટફૂડ ખાવ.


ઘરમાં આવી ખામી બની શકે છે મૃત્યુનું કારણ


દુનિયામાં એવું કોઈ ઘર નથી જ્યાં કોઈ મૃત્યુ થયું ન હોય. કેટલીક પરિવારમાં મોટભાગે અકાળ મૃત્યુ હોય છે, અર્થાત તે પરિવારના કોઈ સદસ્ય કે પછી આત્મહત્યા કરી લે છે કે કોઈને એક્સીડેન્ટ થઈ જાય છે કે પરિવારના કોઈ સદસ્યની હત્યા થઈ જાય છે. આ ઘટનાઓનું એક મુખ્યકારણ વાસ્તુ દોષ પણ હોઈ શકે છે.

વાસ્તુ શાસ્ત્ર અનુસાર જે ઘરની નૈઋત્ય દિશામાં દોષ થાય છે, ત્યાં અકાળ મૃત્યુથી પરિવારના સદસ્યોના મૃત્યુની શક્યતા સૌથી વધારે રહે છે.

અકાળે મૃત્યુ આપનારા વાસ્તુ દોષ

જે ઘરમાં પૂર્વ દિશામાં મુખ્ય દ્વાર હોય અને કમ્પાઉંડવૉલના પૂર્વ-આગ્નિકોણમાં દ્વાર હોય અથવા ઘરના ઈશાન કોણ કપાઈ ગયા હોય. એવા ઘરના માલિક આત્મહત્યા કરી શકે છે.

જે ઘરમાં પૂર્વ દિશામાં મુખ્ય દ્વાર હોય અને કમ્પાઉંડવૉલના પૂર્વ-આગ્નિકોણમાં દ્વાર હોય અથવા ઘરના ઈશાન કોણ કપાઈ ગયા હોય. એવા ઘરના માલિક આત્મહત્યા કરી શકે છે.

જે ઘરમાં વાયવ્યમાં કુવા અને પશ્ચિમ-નૈઋત્યમાં પશ્ચિમ તરફ ઢળાણ હોય, કમ્પાઉન્ડ વૉલના પશ્ચિમ-નૈઋત્યમાં પણ દરવાજો હોય તો તે ઘરના માલિક દ્વારા આત્મહત્યા કરવાની શક્યતા વધારે રહે છે.

જે ઘરના નૈઋત્ય કે પશ્ચિમ-નૈઋત્યમાં કમ્પાઉન્ડ વૉલ તથા ઘરના દ્વાર હોય તો તે ઘરના લોકો બદનામી, જેલ, એક્સીડેન્ટ કે આત્મહત્યાના શિકાર થઈ શકે છે. હાર્ટ એટેક, ઓપરેશન, એક્સીડેન્ટ, હત્યા, લકવા જેવું અકાળ મૃત્યુ થઈ શકે છે.

આવા ઘરમાં જ્યાં પૂર્વદિશામાં મુખ્યદ્વાર હોય, ચાર દિવાલના પૂર્વ અગ્નિ દિશામાં એક બાજુ ફાટક હોય કે ઘરની ઈશાન દિશામાં કપાઈ ગઈ હોય. ત્યાં રહેનારા પરિવારના સદસ્યોને અકાળ મૃત્યુ શક્ય છે.

જે ઘરમાં વાયવ્યમાં કુવો અને પશ્ચિમ-નૈઋત્યમાં પશ્ચિમ તરફ ઢળાણ હોય, પશ્ચિમમાં સ્થળ નીચું હોય કે ચાર દિવાલમાં દક્ષિણ-નૈઋત્યમાં ફાટક હોય. એવા ઘરમાં રહેનારા લોકો દ્વારા આત્મહત્યા કરવાની શક્યતા વધારે થાય છે.

No comments:

Post a Comment